Posts

કોરોના વર્લ્ડ LIVE / બોલિવિયામાં 5 દિવસમાં શેરીઓ અને ઘરોમાંથી 400 મૃતદેહો મળ્યા, તેમાથી 85%ના સંક્રમણથી મોત થયાની શંકા

Image
ન્યૂયોર્ક.  વિશ્વભરમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસના 1 કરોડ 51 લાખ 7 હજાર કેસ નોંધાયા છે. 6 લાખ 19 હજાર 812 લોકોના મોત થયા છે. 91.28 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. બોલિવિયામાં પોલીસને પાંચ દિવસમાં શેરીઓ અને ઘરોમાંથી 400 મૃતદેહો મળ્યા છે. નેશનલ પોલીસ ડાયરેક્ટર ઈવાલ રોજેસ મુજબ તેમાથી 85% (લગભગ 340)ના મોત સંક્રમણથી થયાની આશંકા છે. અહીના ચોચાબાંબા વિસ્તારમાંથી 191, લા પાઝમાંથી 14 અને સેન્ટાક્રૂઝમાંથી 68 મૃતદેહો મળ્યા. ટ્રમ્પે કહ્યું કે વેક્સીન બનાવવા માટે ચીન સાથે કામ કરવા માટે તૈયાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે કોરોનાની વેક્સીન પહેલા લાવવા માટે અમારી સરકાર ચીન સહિત ઘણા દેશો સાથે મળીને કામ કરી રહી છે. તેમણે કહ્યું કે વેક્સીન બનાવવા માટે ચીન સારું કામ કરી રહ્યું છે. અપેક્ષા કરતા તે રસી વહેલી આવવાની સંભાવના છે. તે લોકો સુધી તરત જ પહોંચાડવામાં આવશે, કારણ કે અમેરિકાની સેના તેને વહેચવામાં મદદ કરશે. ઝિમ્બાબ્વેમાં કર્ફ્યુ લગાવાયો ઝિમ્બાબ્વેના રાષ્ટ્રપતિ એમર્સન મનાંગાગ્વાએ મંગળવારે દેશભરમાં કફ્ર્યુ લગાવી દીધો છે. સુરક્ષાદળો સવારના 6થી સાંજના 6 દરમિયાન રાઉન્ડ લગ...

સુનાવણી / જાધવ વિરૂદ્ધ PAK જાસૂસીના પુરતા પુરાવા ન આપી શક્યું- ભારત; અધિકારીએ પાક. એટોર્ની જનરલ સાથે હાથ ન મિલાવ્યાં

Image
હેગ:  પુલવામામાં CRPF જવાનો પર જૈશ-એ-મોહમ્મદના હુમલાના ચાર દિવસ પછી ભારત અને પાકિસ્તાન કુલભૂષણ મામલે સામસામે આવ્યાં. પૂર્વ ભારતીય નેવી અધિકારી જાધવને સંભળાવવામાં આવેલી મોતની સજાને લઈને ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ)માં સોમવારથી સુનાવણી શરૂ થઈ ગઈ. આ સુનાવણી ચાર દિવસ સુધી ચાલશે. સોમવારે ભારતીય વકીલ  હરીશ સાલ્વે   એ દલીલ રજૂ કરી. તેઓએ કહ્યું કે પાકિસ્તાન ICJના મોચનો ખોટો ઉપયોગ કરી રહ્યાં છે. પાકિસ્તાન જાધવ વિરૂદ્ધ જાસૂસીના વિશ્વનિય પુરાવા રજૂ નથી કરી શક્યા. મંગળવારે પાકિસ્તાની વકીલ ખાવર કુરૈશી દલીલ રજૂ કરશે. જે બાદ ભારત 20 ફેબ્રુઆરીએ તેના પર જવાબ આપશે, જ્યારે ઈસ્લામાબાદ 21 ફેબ્રુઆરીએ પોતાની અંતિમ દલીલ રજૂ કરશે. આ વર્ષે આ કેસમાં ચુકાદો આવવાની આશા છે. સુનાવણી દરમિયાન ભારતીય વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ દીપક મિત્તલે પાકિસ્તાનના એટોર્ની જનરલ અનવર મંસૂર ખાને હાથ મિલાવવાનો પ્રયાસ કર્યો પરંતુ મિત્તલે તેઓની સાથે હાથ ન મિલાવ્યો. મિત્તલે હાથ જોડીને તેમની સાથે મુલાકાત કરી. Source

નારાજગી / ક્રિકેટ ક્લબ ઓફ ઈન્ડિયાએ પાકિસ્તાનનાં PM ઈમરાનની તસવીર ઢાંકી

Image
મુંબઈનાં બ્રેર્બાન સ્ટેડિયમમાં ક્રિકેટ ક્લબ ઓફ ઈન્ડિયાની મુખ્યઓફિસ છે ક્લબનાં અધ્યક્ષે જણાવ્યુ કે, અમે કાશ્મીરમાં થયેલા આંતકી હુમલાનો વિરોધ કરીએ છીએ   Source

જાહેરાત / રજનીકાંતે કહ્યું- તે અને તેમની પાર્ટી 2019ની લોકસભા ચૂંટણી નહીં લડે

Image
રજનીકાંતે કહ્યું- પ્રચાર દરમિયાન તેમના પાર્ટીના ચિન્હનો ઉપયોગ કરવામાં ન આવવો જોઈએ રજનીકાંતે ગયા વર્ષે 31 ડિસેમ્બર રાજકારણમાં આવવાનો નિર્ણય કર્યો હતો Source